Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છોટીકાશીના ઉપનામથી ઓળખાતા જામનગર શહેરમાં અનેક નાના-મોટા શિવાલયો આવેલા છે, ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં વહેલી સવારથી ચાલુ વરસાદે હર... હર... મહાદેવનો નાંદ ગુંજ્યો હતો. જામનગર શહેરમાં આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે હવામાન પલટાયું હતું અને વરસાદના ઝાપટાં વરસી રહ્યાં હતાં તેમ છતાં પણ અનેક દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં શીવાલયોમાં ઉમટી પડયાં હતાં. જામનગર શહેરની મધ્યમાં આવેલા ભીડ ભંજન મહાદેવ, કાશીવિશ્વનાથ મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં ભક્તો દ્વારા રૃદ્રાભિષેક, જલાભિષેક સહિતની પૂજા કરવા માટે દૂધ, બિલીપત્ર, ફૂલ સહિતની પૂજા સામગ્રી સાથે દર્શનાર્થે પહોંચ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial