Advertisement
Author: નોબત સમાચાર

દુષ્કર્મના કેસમાં આરોપીનો છૂટકારો

નવ વર્ષ ૫હેલા કરવામાં આવી હતી ફરિયાદઃ

જામનગર તા. ૨૧ઃ જામનગરના એક આસામી સામે દુષ્કર્મ ગુજારવા અંગે વર્ષ ૨૦૧૪માં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સામેનો કેસ નાસાબિત માની તેનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના પટેલકોલોની વિસ્તારમાં વર્ષ ૨૦૧૪માં એક શખ્સે પોતાની દુકાન ચાલુ કરવા માટે ભાડે રાખ્યા પછી અગાઉ એક મહિલા પાસેથી લીધેલી રૃપિયા દોઢ લાખની રકમ લઈ જવા તે મહિલાને જામનગર આવવા માટે કહ્યું હતું.

આ મહિલા પોતાના બે સંતાન સાથે રૃપિયા લેવા માટે જામનગર આવતા આ શખ્સે તે મહિલાને ધમકી આપી તેણી પર દુષ્કર્મ ગુજાર્યા પછી અવારનવાર દુષ્કૃત્યનો સિલસિલો ચાલુ રાખ્યો હતોે. જે તે વખતે ભોગ બનનાર મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ અદાલતમાં ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે કેટલાક સાહેદોની જુબાની રજૂ કરી હતી અને મોખિક, દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તેની સામે આરોપીના વકીલ અશોક એચ. જોશીએ દલીલ કરી હતી કે, ભોગ બનનારનો પુરાવો માનવા લાયક નથી અને મેડિકલ પુરાવાથી બનાવને સમર્થન મળતું નથી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છુટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અશોક એચ. જોશી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh