Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની રંગમતી નદીના રિવરફ્રન્ટ માટે પ્રથમ તબકકામાં રૂ. ૨૫ કરોડ ફાળવાયા

ધારાસભ્ય રિવાબા જાડેજાએ મુખ્યમંત્રીને ફંડ માટે પત્ર પાઠવ્યો હતો

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૪: જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાના ડ્રિમ પ્રોજેકટ એવા રંગમતી નદી પરના રિવરફ્રન્ટ ના પ્રારંભિક કામ અર્થે ૨૫ કરોડની રાજ્ય સરકારે ફાળવણી કરી છે. પ્રથમ તબક્કામાં ૧૨૫ કરોડના ખર્ચે રંગમતી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીની પણ ધારાસભ્ય રિવાબા જાડેજાએ સમીક્ષા કરી હતી.

જામનગર શહેરની ઐતિહાસિક રંગમતી- નાગમતી નદી પર અંદાજે ૫૦૦ કરોડ રૃપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેના પ્રાથમિક તબક્કાના ભાગરૃપે ૧૨૫ કરોડના ખર્ચે નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આ પ્રોજેક્ટનું જેમણે સપનું સેવ્યું હતું, તે ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેઓએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને આ ડ્રિમ પ્રોજેકટને વેગવંતો બનાવવા માટે ફંડ રિલીઝ કરવા માટે પત્ર પાઠવ્યો હતો, જેનો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્વરિત ઉત્તર અપાયો છે, અને હાલ પ્રારંભિક કામ માટે રૃપિયા ૨૫ કરોડ મંજૂર કરી દેવામાં આવ્યા છે.

જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા કે તેઓએ રંગમતી રિવર રિજુવીનેશન પ્રોજેક્ટની ભલામણ અન્વયે તારીખ ૧.૫.૨૦૨૫ના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો હતો, અને આ પ્રોજેક્ટ અંતર્ગત ના કાર્ય માટે ની રકમની ફાળવણી કરવા રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને અગ્રતાક્રમ આપીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે, અને  પ્રારંભિક કામ પેટે રૃપિયા ૨૫ કરોડના ફંડની ફાળવણી કરી દેવામાં આવી છે.

 ઉપરોક્ત મંજૂરીનો ગુજરાત શહેરી વિકાસ મિશનની કચેરીનો પત્ર જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાને સાંપડ્યો છે, જેથી તેઓએ સંતોષ વ્યક્ત કર્યો છે, અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે . ઉપરાંત  રીવર ફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી પણ પુરા વેગમાં હાથ ધરવામાં આવશે.

જામનગરની રંગમતી નદીના પટમાં નદીને ઊંડી ઉતારવાનું કામ પૂરજોશમાં ચાલી રહૃાું છે, ત્યારે ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા સમયાંતરે સ્થળ પર જઈ ને જાત નિરીક્ષણ કરાઈ રહૃાું છે, અને જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓને સ્થળ પર હાજર રખાવી રિવર ફ્રન્ટને લગતા જરૃરી સૂચનો આપવામાં આવી રહૃાા છે, અને સમગ્ર જામનગર મહાનગરપાલિકાની ટીમની સાથે ધારાસભ્ય પોતે પણ રીવરફ્રન્ટ પ્રોજેક્ટના કામનું બારીકઈથી નિરીક્ષણ કરીને જરૃરી સમીક્ષા કરી રહૃાા છે. જે તમામના પ્રયાસોથી આગામી દિવસોમાં જામનગર શહેરને વધુ એક નવું નજરાણું મળી રહેશે, અને જામનગર માટે એક અનોખી ઓળખ ઊભી થશે.

હાલ પ્રથમ ચરણમાં ખાસ કરીને નદીને ઊંડી કરવાનો પ્રોજેક્ટ ચાલુ થયો છે, જે ચોમાસા સુધીમાં પૂર્ણ થઈ જાય તે રીતે કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી ચોમાસા પહેલા સમગ્ર દબાણ હટાવીને વરસાદી પાણીની સમસ્યામાંથી લોકોને રાહત મળે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 ધારાસભ્ય રિવાબા જાડેજાને પોતાના વિધાનસભા વિસ્તારમાં અનેક લોકોને પાણી ભરાવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેમાંથી છૂટકારો મળે તે માટેના અથાગ પ્રયાસો થઈ રહૃાા છે, જે માટે મહાનગરપાલિકાની ટીમને સત્વરે કામે લગાડી દેવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh