Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા નગરપાલિકાની બેદરકારીઃ
જામનગર તા. ૧૪: ખંભાળીયા શહેરમાં રામનાથ સોસાયટીના રોડ પર એસ.એન.ડી.ટી. સોસાયટી પાસેના વિસ્તારમાંથી નીકળતા મેઈન રોડ પર ચારે તરફથી વરસાદનું પાણી આવતું હોય, ચોમાસામાં થોડા જ વરસાદમાં અહીં એટલું પાણી ભરાય છે કે ચાલીને તો ના નીકળી શકાય પણ વાહનો લઈને જતાં પણ અહીં પડી જવાય કે વાહનો બંધ થઈ જાય તેવી સ્થિતિ થાય છે.
તાજેતરમાં માત્ર દોઢ ઈચ વરસાદ પડ્યો ત્યારે અહીં એટલું પાણી ભરાયું કે એક મહિલા એક્ટીવા લઈને જતા હતા ત્યારે એક કાર નીકળતા પાણીનો વેગ વધતા અને વચ્ચે સ્પીડબ્રેકરમાં એકટીવા પડી જતા તે મહિલા પાણીમાં પડી ગયા હતા તથા મો માં પાણી પી જતા તેને પ્રાથમિક સારવાર આપવી પડી હતી તો સારવાર પછી પણ અહીંથી નીકળતા મહિલાઓએ કપડા ગોંઠણ સુધી ઉંચા કરીને નીકળવાની સ્થિતિ થતી હોય, અગ્રણી રીછાભાઈ ગોરલીયા દ્વારા આ બાબતે પાલિકા હોદ્દેદારો તથા આ વિસ્તારના સદસ્યોને રજુઆત કરી છે.
પાણીના નિકાલ માટે નાના હોલ ક્યાં હોય તેમાં વરસાદના પાણીના કચરા ભરાઈ જતાં પાણીનો નિકાલ ન તથાં અહીં જાણે નદી ભરી હોય તેવી સ્થિતિ થાય છે તથા ભર ચોમાસામાં તો અહીં દિવસો સુધી પાણી ભરાયેલ રહે છે. તો ચાલુ વરસાદે અહીંથી ટુ વ્હીલર તો નીકળી જ શકતા નથી, જેથી પાણી નિકાલ માટે યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial