Advertisement
Author: નોબત સમાચાર

રૂ.૫ હજાર વ્યાજે લીધા પછી ૨૦ હજાર ચૂકવ્યા છતાં ગાળો ભાંડી ધમકી અપાઈ

સિક્યુરિટીમાં અપાયેલો ચેક બેંકમાં રજૂ કરાયોઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૧૪: જામનગરના એક આસામીએ રૂ.પ હજાર ૩૦ ટકાના વ્યાજે લઈ રૂ.૨૦ હજાર ચૂકવી આપ્યા હોવા છતાં સિક્યુરિટી માં આપવામાં આવેલા બે ચેકમાંથી એક ચેકમાં રૂ.૭૦ હજારની રકમ લખી તે ચેક બેંકમાંથી પરત ફેરવી લઈ ફોન પર ગાળો ભાંડી ધમકી અપાતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં એમ/૬૧ બ્લોકમાં વસવાટ કરતા જીજ્ઞેશ હરીભાઈ દસાડીયા નામના રિક્ષા ડ્રાઈવરે ગયા ડિસેમ્બર મહિનામાં નાનકપુરી વિસ્તારમાં રહેતા અને નહેર કાંઠે ઓફિસ ચલાવતા મોહિત સુભાષભાઈ નંંદા પાસેથી રૂ.પ હજાર ૩૦ ટકાના વ્યાજે લીધા હતા.

ત્યારપછી વ્યાજ તથા મુદ્દલ પેટે રૂ.૨૦ હજાર ચૂકવી આપ્યા હોવા છતાં તેઓએ સિક્યુરિટીમાં આપેલા બે કોરા ચેકમાં રૂ.૭૦ હજાર લખી તેમાં સાગર દિલીપભાઈ ગજરાનું નામ લખી મોહિતે તે ચેક બેંકમાં ભર્યા પછી રિટર્ન કરાવી તેની ફરિયાદ કરી હતી અને જીજ્ઞેશ દસાડીયાને ફોન કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh