Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ૨૦૧૮ તથા વર્ષ ૨૦૨૧માં કરવામાં આવી હતી બે ફરિયાદઃ
જામનગર તા. ૧૪: જામનગરના બે શખ્સ સામે અનુક્રમે વર્ષ ૨૦૨૧ તથા વર્ષ ૨૦૧૮માં બે સગીરાના અપહરણ કરી દુષ્કર્મ ગુજારવા અંગે પોલીસમાં ગુન્હા નોંધાયા હતા. તે બંને કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીને અનુક્રમે ૨૦ વર્ષ તથા ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
જામનગર શહેરના એક વિસ્તારમાં વસવાટ કરતી પોણા ચૌદ વર્ષની તરૃણીના સંપર્કમાં ઈન્સ્ટાગ્રામના માધ્યમ થી સંપર્કમાં આવેલા અને ગાંધીનગર નજીક વસવાટ કરતા ઝાકીર કાસમ સંઘાર (ઉ.વ.ર૩) નામના શખ્સે ફોલો કરવાની ઈક્વેસ્ટ મોકલ્યા પછી આ તરૃણી તથા ઝાકીર વચ્ચે વાતચીત શરૃ થઈ હતી. તે પછી આ શખ્સની બહેન સાથે તે તરૃણીની મિત્રતા થઈ હતી અને તેણીને મળવા માટે તરૃણી જ્યારે તેના ઘરે ગઈ ત્યારે ઝાકીરે ઘરમાં કોઈ ન હોવાથી તરૃણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
ત્યારપછી ગઈ તા.ર૩-૮-ર૧ની રાત્રે અઢી વાગ્યે આ તરૃણીને તેણીના ઘરેથી રિક્ષામાં બેસાડી ગુલાબનગર સુધી લઈ ગયા પછી એસટી બસમાં રાજકોટ અને ત્યાંથી મહેસાણા લઈ જઈ ઝાકીરે દુષ્કર્મનો ભોગ બનાવી હતી. આ બાબતની જે તે વખતે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે આઈપીસી તથા પોકસો એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
આ કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી ઝાકીર કાસમ સંઘારને તક્સીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ, આઈપીસી ૩૬૩ના ગુન્હામાં ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ.ર હજારનો દંડ, ૩૬૬ હેઠળના ગુન્હામાં પાંચ વર્ષની કેદની સજા અને રૂ.પ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૂ.૪ લાખ વળતર પેટે ચૂકવવામાં આવશે.
જામનગરના ગાંધીનગર નજીક પુનીતનગરમાં રહેતા વિજય ઉર્ફે ભુરાસ્વામી ધનશેખર નાયર નામના શખ્સે બનાવના દોઢેક વર્ષ પહેલાં એક સગીરા સાથે પરિચય કેળવ્યા પછી લગ્ન કરી લેવાની લાલચ બતાવી ગઈ તા.૧૮-૮-૧૮ના દિને તેણીને ઘરે બોલાવી હતી પરંતુ તે તરૃણી ગઈ ન હતી. તે પછી રસ્તામાં તેણીને રોકી ભુરાસ્વામી તથા તેના મિત્ર કાનાએ આ તરૃણીનો હાથ પકડી બાઈકમાં બેસાડી લીધી હતી અને મોટરમાં રાજકોટ અને ત્યાંથી અમદાવાદ, સુરત લઈ જઈ એક ગેસ્ટહાઉસમાં રાખી દુષ્કર્મ ગુજાર્યું હતું.
ઉપરોક્ત ફરિયાદ પોલીસમાં કરાતા પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ ખાસ પોેક્સો અદાલતમાં ચાલવા પર આવતા અદાલતે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી વિજય ઉર્ફે ભૂરાસ્વામીને તક્સીરવાન ઠરાવી આઈપીસી ૩૭૬ તથા પોક્સો એક્ટની કલમ હેઠળ ૧૦ વર્ષની સખત કેદની સજા, રૂ.૧૦ હજારનો દંડ, ૩૬૩ના ગુન્હામાં ત્રણ વર્ષની સજા અને રૂ.ર હજાર દંડ, ૩૬૬ના ગુન્હામાં પાંચ વર્ષની કેદ અને રૂ.પ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર સગીરાને વળતર પેટે કમ્પેઈન્સેશનમાંથી રૂ.ર લાખ વળતર ચૂકવવા આદેશ કરાયો છે. બંને કેસમાં સરકાર તરફથી પીપી ભારતીબેન વાદી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial