Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અફવા ન ફેલાવવા તંત્રની વધુ એક વખત સૂચનાઃ
ખંભાળિયા તા. ૧૪: હાલમાં યુદ્ધ જેવી સર્જાયેલી સ્થિતિ વચ્ચે અફવા ન ફેલાવવા તંત્ર દ્વારા અવાર નવાર સૂચના આપવામાં આવે છે તેમ છતાં લોકોમાં ભય ફેલાય તેવો એક મેસેજ મીઠાપુરમાં વાયરલ થયા પછી પોલીસે શરૃ કરેલી તપાસમાં તે મેસેજ દ્વારા અફવા ફેલાવનાર ત્રણ શખ્સ ઝડપાઈ ગયા છે. હાલમાં ભારત તથા પાક. વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં કેટલાક શખ્સો ભય પ્રસરે તેવા મેસેજ વાયરલ કરતા હોવાની જાણકારી પોલીસને મળી હતી.
અફવા ન ફેલાવવા તંત્ર દ્વારા અવારનવાર સૂચના આપવામાં આવતી હોવા છતાં લોકોમાં ભય ફેલાય તેવો ઓડિયો મેસેજ વાયરલ થતાં હરકતમાં આવેલી પોલીસ ટીમે તપાસ શરૃ કરી હતી. જેમાં મીઠાપુરના પીઆઈ ટી.સી. પટેલ તથા સ્ટાફે દ્વારકાના શિવરાજપુરના મીયાભા નાયાણી, ભીમરાણા ના જીમલભા વીરાભા ભગાડ તથા સુરેશભા વિશાભા માણેક નામના ત્રણ શખ્સની અટકાયત કરી લઈ કાયદેસર કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial