Advertisement
Author: નોબત સમાચાર

સીસીડીસી સામે ૪૫ વર્ષે જૂના કરારના આધારે દસ્તાવેજ કરી આપવા થયો આદેશ

નગરના તબીબે લીધો હતો અદાલતનો આશરોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના બેડીબંદર રોડ પર આવેલા સીસીડીસી ફ્લેટ્સમાં વર્ષાે પહેલાં ફ્લેટ ખરીદનાર એક તબીબે તેના કરારના પાલનનો દાવો કર્યાે હતો. ૪પ વર્ષ પછી ઉપરોક્ત દાવો થયો હોવા છતાં અદાલતે તેને ગ્રાહ્ય રાખી વેચાણ દસ્તાવેજ કરી આપવા આદેશ કર્યાે છે.

જામનગરમાં પ્રેક્ટિસ કરતા ગાયનેકોલોજીસ્ટ ડો. વહાણવટીએ બેડીબંદર રોડ પર પટેલ કોલોની શેરી નં.૯ના ખૂણા પાસે આવેલા સીસી ડીસી ફલેટ્સમાં વર્ષાે પહેલાં ફ્લેટ ખરીદ્યો હતો.

તે પછી તેના કરારનું પાલન ન કરાતા ડોક્ટર દ્વારા ૪૫ વર્ષ પછી કરાર પાલનનો અદાલતમાં દાવો કરવામાં આવ્યો હતો. તે દાવો ચાલી જતાં અદાલતે લિમિટેશન કોન્ટ્રાક્ટ એક્ટ અને એવજના મુદ્દા પર કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખી સીસી ડીસીને તે ફલેટનો વેચાણ દસ્તાવેજ કરી આપવા આદેશ કર્યાે છે. ડોક્ટર તરફથી વકીલ અનિલ જી. મહેતા, અર્જુનસિંહ સોઢા, વિવેક જાની તથા ભરત એ. વસરા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh