Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ : ૮૬ બોટલ રક્ત એકત્રિત

આકસ્મિક સંજોગોમાં લોહીની અછત ન થાય તે હેતૂથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગર જિલ્લામાં કોઈ પણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમ્યાન લોહીની અછત ન સર્જાય તે હેતુથી વિવિધ જગ્યાઓ પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જામજોધપુર સરકારી હોસ્પિટલમાં ૧૧ મે ના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્ય્ું હતું, જેમાં ૮૬ બોટલ રક્ત એકિત્રત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરોગ્ય સ્ટાફ, સામાજિક કાર્યકરો સહીત ગ્રામજનોએ ઉત્સાહ દર્શાવ્યો હતો અને રક્તદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. નુપુર પ્રસાદના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરીયા, અગ્રણીઓશ્રી રવિ શિહોરા, ભાગ્યેશ માનસુર્યા, હોસ્પિટલ સ્ટાફ અને ગ્રામજનોએ સહભાગી બની રક્તદાન કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh