Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સના નામ સાથે કરાઈ ફોજદારીઃ
જામનગર તા. ૧૪: જામનગરની ન્યુ આરામ કોલોનીમાં વર્ષાે જૂના એક મકાનમાંથી બે સપ્તાહ પહેલાં એક શખ્સ બળજબરીપૂર્વક વીજમીટર કાઢી ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલ ન્યુ આરામ કોલોનીમાં શેરી નં.રમાં પરમેશ્વરસિંગ દયાલસિંગ કુશવાહ નામના વૃદ્ધના વર્ષાે જૂના મકાનમાંથી વિશાલ જોગલ નામનો શખ્સ ગઈ તા.૧ની સવારે વીજ કંપનીનું લગાવવામાં આવેલું મીટર કાઢી ગયો છે.
આ બાબતની પોલીસમાં કરાયેલી ફરિયાદમાં જણાવાયા મુજબ હાલમાં ઢીંચડા રોડ પર યોગેશ્વરધામ માં રહેતા પરમેશ્વરસિંગનું ર૮ વર્ષથી ત્યાં મકાન આવેલુ છે. તે મકાનના ફળીયામાંથી ઉપરોક્ત મીટર કાઢી જવાતા પહેલાં નજીકમાં આવેલા થાંભલામાંથી તેનું કનેક્શન કટ કરી નખાયું હતું અને તે પછી વિશાલ જોગલે રૂ.૧ હજારની કિંમતના મીટરને બળજબરીથી કાઢી લીધુ છે. પોલીસે બીએનએસની કલમ ૩૦૮ (૧) (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial