Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલો જથ્થો ચોથી મે ના રવાના થયો હતોઃ
નવી દિલ્હી તા. ૧૪: ભારત-પાક. સંઘર્ષ વિરામ પછી હજ માટેની બીજી બેચ મક્કા માટે રવાના થઈ હોવાનું જાણવા મળે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પછી હજત્રાળુઓનો બીજો જથ્થો બુધવારે સવારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર સ્થિત હજ હાઉસથી એરપોર્ટ માટે રવાના થયો. તેઓ સાઉદી અરેબિયાના મક્કા જઈ રહ્યા છે. શ્રીનગરથી હજ યાત્રાળુઓનો પહેલો જથ્થો ૪ મે ર૦રપ ના રવાના થયો હતો. ઓપરેશન સિંદૂરને કારણે ૭ મે અને ૧ર મે ના હજ યાત્રાળુઓની રવાના થનારી સાત ફ્લાઈટ્સ રદ્ કરવામાં આવી હતી. આજથી ફ્લાઈટ્સ શરૃ થઈ ગઈ છે. મંગળવારથી શ્રીનગર એરપોર્ટ પર ફ્લાઈટ કામગીરી શરૃ થઈ ગઈ છે.
બીજી તરફ મંગળવાર-બુધવારની રાત્રે પહેલી ફ્લાઈટ પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતરી હતી. આ ફ્લાઈટ કતાર એરવેઝની હતી. ઈન્ડિગો એરલાઈન્સે પણ બુધવારથી પંજાબ માટે ફ્લાઈટ્સ શરૃ કરવાની જાહેરાત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial