Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય જવાનોનો જુસ્સો વધારવા
જામનગર તા. ૧૪: ભારતીય સેનાના જવાનોને હિંમત આપવા અને તેમનો જુસ્સો વધારવાના હેતુથી જામનગરમાં ગઈકાલે કોંગ્રેસ દ્વારા 'જયહિન્દ યાત્રા' નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારે 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યુ હતું અને પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડાનો સફાયો કર્યો હતો. જેના સમર્થનમાં આ યાત્રા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી હતી. ગઈકાલે સાંજે પ.૩૦ કલાકે જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલયથી તિરંગા સાથે યાત્રા શરૃ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના અને સેવાદળના આગેવાનો, કાર્યકરો જોડાયા હતાં. શહેર પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર જેનબબેન ખફી, રચનાબેન નંદાણીયા, આનંદ રાઠોડ ઉપરાંત પ્રદેશ આગેવાન સહારાબેન મકવાણા, ભરત વાળા, મહિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા, પ્રવિણભાઈ જેઠવા, સેવાદળના આગેવાનો વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial