Advertisement
Author: નોબત સમાચાર

રંગમતિ રીવર રિજુવિનેશન પ્રોજેક્ટ અંતર્ગત પ્રારંભિક કામો માટે કરોડો રૂપિયા મંજુર

જામનગરના ધારાસભ્યો તથા નેતાઓની રજૂઆતને પગલે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગર શહેરમાં ઘણાં વર્ષોથી રીવરફ્રન્ટ માટે રજૂઆતો કરવામાં આવતી હતી. જેના અનુસંધાને જામનગર શહેરના સાંસદ, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી, પ્રભારી મંત્રી, તમામ ધારાસભ્યો, જામનગર શહેરના મેયર, કોર્પોરેશનના પદાધિકારીઓ વગેરે દ્વારા અનેક વખત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆતો કરવામાં આવી હતી, જેને સફળતા સાંપડી છે.

જે અંગે ગુજરાત સરકાર દ્વારા આ રજૂઆતોના હકારાત્મક પ્રત્યુત્તર તરીકે મુખ્યમંત્રીએ રંગમતિ રીવર રિજુવિનેશન પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. ૧રપ કરોડ મંજુર કરવામાં આવેલા છે. જેમાં આ પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કાના કામો માટે રૂ. રપ કરોડની રકમની મંજુરી આપવામાં આવી છે. રીવરફ્રન્ટ અંગેની કરવામાં આવેલ રજૂઆતને મંજુર કરવા માટે ભાજપના અગ્રણીઓએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માન્યો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરની રંગમતિ-નાગમતિ નદીઓની પહોળાઈ તેમજ ઊંડાઈ પણ વધારવામાં આવશે તેમજ આ બન્ને નદીઓને પોતાના મૂળ સ્વરૃપે લઈ આવવા માટે પ્રયાસ પણ કરવામાં આવશે. આ પ્રથમ ચરણનું કામ ચોમાસા સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી રીતે કામગીરી હાથ ધરવામાં આવશે. તેમ ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh