Advertisement
Author: નોબત સમાચાર

નાની બાણુંગારની ખેતીની જમીન અંગે કરાયેલી અપીલ કલેક્ટર દ્વારા મંજૂર

વશીયતનામાની ગામ દફતરે નોંધનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના નાની બાણુંગાર ગામના એક આસામીની વશીયતનામાની ગામ દફતરે નોંધ પાડવા માટે કરાયેલી અરજી નામંજૂર થતાં કલેક્ટર સમક્ષ રીવીઝન કરવામાં આવી હતી. અપીલ નામંજૂર કરતો પ્રાંત અધિકારીનો આદેશ રદ્દ કરાયો છે.

જામનગર તાલુકાના નાની બાણુંગાર ગામના નાથાભાઈ નાનજીભાઈ લીંબાસીયાની ખેતીની જમીન અંગે તેઓએ પુત્ર ધીરૃભાઈ નાથાભાઈના નામનું વશીયતનામું બનાવ્યા પછી વર્ષ ૨૦૧૭માં તેમનું નિધન થયું હતું.

તેમના વીલની નોંધ વર્ષ ૨૦૨૩માં ગામ દફતરે કરવામાં આવી હતી. તેની નોટીસ અમૂક વારસદારોને ન મળતા નોંધ નામંજૂર થઈ હતી તેની સામે અપીલ કરવામાં આવી હતી. તે અપીલ પણ નામંજૂર થતાં પ્રાંત અધિકારીના આ હુકમ સામે ગુજરાત જમીન મહેસુલ અધિનિયમની કલમ ૧૦૮ (૬) હેઠળ કલેકટર સમક્ષ રીવીઝન કરવામાં આવી હતી તે ચાલી જતાં કલેક્ટરે પ્રાંત અધિકારીનો હુકમ રદ્દ કરી રીવીઝન મંજૂર રાખી છે. અરજદાર તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh