Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બચુનગરમાં ૧૯૦ ગેરકાયદે બાંધકામ ધારકોની થશે સુનાવણી

મહાનગરપાલિકા અરજદારને સાંભળશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના બચુનગરમાં ૧૯૦ જેટલા બાંધકામ ધારકોએ પોતાના બાંધકામ રેગ્યુલાઈઝ્ડ કરી આપવા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા રંગમતિ નદીમાં રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન થયું છે. તેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકા દ્વારા નદીના પટમાં મકાન, દુકાન, વગેરેના થયેલા ગેરકાયદે બાંધકામો દૂર ખસેડવા કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી અને આશરે ૧૯૦ બાંધકામ ધારકોને તેમના દબાણો દૂર કરવા નોટીસો અપાઈ હતી, જે બાંધકામો બચુનગર વિસ્તારમાં આવેલા છે. આ બાંધકામ ધારકોએ પોતાના બાંધકામ રેગ્યુલાઈઝ્ડ કરી આપવા અરજી કરી છે. આથી તા. ૧પ, ૧૬ અને ૧૯ ના ટાઉનહોલમાં તેઓ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. આ બાંધકામ સામે સુપ્રિમ કોર્ટનો સ્ટે મળ્યો હોવાની વાત માત્ર અફવા હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh