Advertisement
Author: નોબત સમાચાર

માવઠું થતા માર્કેટીંગ યાર્ડ-હાપામાં ડુંગળીનો જથ્થો પલળી જતા બરબાદ

કોઈ વપારીએ ક્લેમ નહીં કરતા યાર્ડ દ્વારા બગડેલી ડુંગળીનો કરાશે નિકાલ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના હાપા માર્ગના માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલ ડુંગળીનો ૧૦૦ મણથી વધુ જથ્થો વરસાદમાં પલળી જવા પામ્યો હતો.

તાજેતરમાં હાપા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થવા પામી હતી. આ પછી વેપારીઓએ ખરીદેલ ડુંગળીનો અમુક જથ્થો બહાર ખુલ્લામાં રાખ્યો હતો. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે લગભગ ૧૦૦ મણથી વધુ ડુંગળીનો જથ્થો પલળી જતા બગડી ગયો હતો.

જો કે, કોઈ વેપારી હાલ ડુંગળીની માલિકીનો દાવો કરતા નથી. આથી હવે યાર્ડ દ્વારા જ આ બગડેલી ડુંગળીના જથ્થાનો નિકાલ કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh