Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભવ્ય ષોડશોપચાર પૂજન, મહાઆરતી, છપ્પનભોગ, મહાપ્રસાદ સહિત
જોડિયા તા. ૧૪: જોડિયા પાસેના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુણાતીતનગર શ્રી ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન બીએપીએસ મંદિરમાં ૧પ મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. બ્રહ્મ સ્વરૃપ શ્રી શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૃપ શ્રી યોગીજી મહારાજ, બ્રહ્મ સ્વરૃપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ તથા પ.પૂ. મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત દેવ સ્વરૃપો તથા જન્મસ્થાનમાં અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીજીનો આ પાટોત્સવ કોઠારી સ્વામીશ્રી ધર્મુંવરસ્વામીજી, શ્રી સોમપ્રકાશ સ્વામીજી તથા વરિષ્ઠ સંતોની પાવન નિશ્રામાં સંપન્ન થયો હતો.
જેમાં વૈદિક મહાપૂજા, કેસર, પંચામૃત, પવિત્ર જળથી ભવ્ય ષોડશોપચાર પૂજન, પાટોત્સવ સભા, મહાઆરતી, ભગવાનને છપ્પનભોગ તથા ભાવિકો માટે મહાપ્રસાદ યોજાયો હતો. નીજ મંદિરમાં પુષ્પોથી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. તેમ મંદિરના ભક્તજન ભરતભાઈ ગણાત્રા તથા હિતેષ રાચ્છ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial