Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાનમાં થયો ૧.પ ડીગ્રીનો વધારોઃ
જામનગર તા. ૧૪: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી અને નહીંવત્ વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા નોંધાયું હતું. અસહ્ય ગરમી અને બફારાના પગલે પ્રજાજનો આકૂળ-વ્યાકૂળ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.
જામનગરમાં બે દિવસ સુધી તાપમાનનો પારો ૩૪.પ ડીગ્રીએ સ્થિર રહ્યા પછી હવે તેમાં સળવળાટ થયો છે. નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી અને અડધો ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૬.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ વધીને ૭૮ ટકા રહ્યું હતું. તાપમાન અને ભેના પ્રમાણમાં થયેલા વધારાના પગલે આકરા તાપ અને ગરમીથી પ્રજાજનો બેફાર થઈ ગયાહતાં. પરશેવે રેબઝેબ બનીને લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. રાહત મળે તે માટે જનતાએ એસી, એરકુલર તથા ઠંડાપીણાનો સહારો લીધો હતો. રાત્રિના સમયે ડીસગોલા તથા ઠંડાપીણા અને દુકાનો પર લોકોનો ધસારો જોવા મળ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial