Advertisement
Author: નોબત સમાચાર

ભાજપના મંત્રી વિજય શાહ સામે જામનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

કર્નલ સોફિયા કુરેશી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર એમ.પી.ના

                                                                                                                                                                                                      

જામનગરમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના મંત્રી દ્વારા કર્નલ સોફિયા કુરેશી વિશે ટિપ્પણી કરવામાં આવતા વિરોધમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મધ્યપ્રદેશના ભાજપના મંત્રી વિજય શાહએ કર્નલ સોફિયા કુરેશી વિશે ટિપ્પણી કરી હતી. તેનો વિરોધ કરવા આજે લાલબંગલા સર્કલમાં પ્રદર્શન કરાયું હતું, અને મંત્રીના પોસ્ટર ઉપર કાળી શાહી ફેંકી હતી અને ભાજપના મંત્રી ઉપર દેશદ્રોહનો કેસ નોંધવા માંગણી કરી છે. આજના આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટરો જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, નુરમામદ પલેજા, પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા, ડો. તૌસીફખાન પઠાણ, શક્તિસિંહ, મહિપાલસિંહ આનંદ ગોહિલ, સાજીદ બ્લોચ સહિતનાઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh