Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના નાનાભાઈનું નિવેદન નોંધાયું:
જામનગર તા. ૧૪: લાલપુરના એક યુવાને ગઈ કાલે પોતાના ઘરમાં અકળ કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. પોલીસે મૃતકના નાનાભાઈનું નિવેદન નોંધ્યું છે.
લાલપુર શહેરના ગોહિલ વાસમાં વસવાટ કરતા રાજેશ ભાઈ બુધાભાઈ પરમાર નામના પાંત્રીસ વર્ષના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે અકળ કારણે ગળાફાંસો ખાધો હતો.
રાત્રે નવેક વાગ્યે તેની જાણ નાનાભાઈ હિતેશ પરમારને થતાં તેઓએ રાજેશ ભાઈને નીચે ઉતારી સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી. તે પહેલાં આ યુવાન મૃત્યુ પામ્યા હતા. પોલીસને તેની જાણ કરી છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial