Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપલાઈન નાંખવાની હોવાથી
જામનગર તા. ૧૪: જામનગર મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર નામુ પ્રસિદ્ધ કરવામ આવ્યું છે.અને સમર્પણ સર્કલ થી ખંભાળિયા બાયપાસ સુધીનો એક તરફનો માર્ગ ભૂગર્ભ ગટર ની કામગીરી અન્વયે બે માસ માટે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં રાખવામાં આવશે. જે અંગે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
બી.પી.એમ.સી. એક્ટની કલમની જોગવાઈ હેઠળ મળેલ સતાની રૃએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર નોટીસથી જાણ કરવામાં આવી છે કે, જામનગર મહાનગર પાલિકાની હદમાં સમર્પણ હોસ્પિટલ પાસે સમર્પણ સર્કલ થી જામનગર જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધીના રસ્તા પર આવેલ સ્વામિનારાયણ મંદિરના ગેટથી જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધી જામનગરથી જામખંભાળિયા જતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની દક્ષિણ દિશા તરફના રસ્તામાં ભુગર્ભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૃપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૧૪-૦૫-૨૦૨૫ થી તા.૧૩-૦૭-૨૦૨૫ એટલે કે, ૨ માસ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે. જેનો અમલ કરવા નો હુકમ કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
સમર્પણ હોસ્પિટલ પાસે સમર્પણ સર્કલ થી જામનગર જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધીના રસ્તા પર આવેલ સ્વામિનારાયણ મંદિરના ગેટ થી જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધી જામનગરથી જામખંભાળિયા જતા રસ્તાની મધ્યરેખા પરના રોડ ડિવાઈડરની દક્ષિણ દિશા તરફનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે સમર્પણ હોસ્પિટલ પાસે સમર્પણ સર્કલથી જામનગર જામખંભાળિયા બાયપાસ સર્કલ સુધી જામનગરથી જામખંભાળિયા જતા રસ્તાની મધ્યરેખા પરના શેડ ડિવાઈડરની ઉત્તર દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial