Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશના પાંચ રાજ્યો તથા બાંગલાદેશમાં પણ અનુભવાયા આંચકાઃ પુરીમાં ૪.૭ની તીવ્રતા નોંધાઈઃ
નવી દિલ્હી તા. ૧૭ : દિલ્હી-એનસીઆર ૪.૦ના ભુકંપથી ધણ ધણી ઉઠયું હતું. જેનું કેન્દ્રબિંદુ નવી દિલ્હીમાં નોંધાયું હતું. સવારે ૫.૩૬ કલાકે આવેલા ભૂકંપને કારણે ઉંચી ઉંચી ઈમારતો-મકાનો હલબલી ઉઠયા હતા. લોકો ભયના માર્યા શેરીઓમાં દોડયા હતા. હજુ સુધી જાન-માલની નુકશાનીના અહેવાલો નથી. લોકોને સંયમ રાખવા-સતર્ક રહેવા પીએમની અપીલ કરી હતી. આ ઉપરાંત દેશના અન્ય ચાર રાજયો તથા બાંગ્લાદેશમાં પણ ભૂકંપના અલગ-અલગ આંચકા અનુભવાયા હતા.
આજે સવારે દિલ્હી-એનસીઆરમાં તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપના આંચકાથી લોકો ડરી ગયા. ગાઢ નિંદ્રામાં સૂતા લોકોને પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને સમગ્ર એનસીઆરમાં આવેલો આ ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. દિલ્હી-એનસીઆર પછી બિહાર અને ઓડિશામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. દિલ્હી-એનસીઆરમાં ઘણી સેકન્ડો માટે ધરતી ધ્રુજવા લાગી.ઉચી ઉચી ઇમારતો અને મકાનો હલબલી ઉઠયા અને લોકો ભયના માર્યા શેરીઓમાં દોડયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે સવારે ૫:૩૬ વાગ્યે દિલ્હીમાં ૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
અગાઉના ભૂકંપોથી વિપરીત, આ ભૂકંપ દિલ્હીમાં જ આવ્યો હતો અને તેનું ઉદ્ભવસ્થાન પૃથ્વીની સપાટીથી માત્ર ૫ કિમી નીચે હતું. ઘણાં સમય પછી, દિલ્હી-એનસીઆરમાં લોકોએ આટલો જોરદાર ભૂકંપ અનુભવ્યો. અહીં એ ઉલ્લેખ કરવો મહત્ત્વપૂર્ણ છે કે તીવ્રતા એટલી વધારે ન હતી, કારણ કે તેનું કેન્દ્ર દિલ્હી હતું, લોકોએ લાંબા સમય સુધી તેનો અનુભવ કર્યો.
ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆનમાં દુર્ગાબાઈ દેશમુખ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન નજીક હતું. અધિકારીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ જ્યાં હતું તેની નજીક એક તળાવ છે. આ પ્રદેશમાં દર બે થી ત્રણ વર્ષે ઓછી તીવ્રતાના ભૂકંપ આવે છે. તેમણે કહયું કે, ૨૦૧૫માં અહીં ૩.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દિલ્હી-એનસીઆર તેમજ પડોશી રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોમાં ગભરાટ ફેલાયો અને તેઓ સાવચેતી રૂપે પોતાના ઘરની બહાર નીકળી ગયા. હાલમાં, ક્યાંયથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લોકોને સાવધ રહેવાની વિનંતી કરી અને કહયું, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અમે દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરીએ છીએ. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહયા છે.
દિલ્હી-એનસીઆર ભૂકંપ ઝોનમાં આવે છે, જેના કારણે અહીં મધ્યમથી ગંભીર ભૂકંપનો ભય રહેલો છે. દિલ્હી એનસીઆરમાં સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાય છે, પરંતુ આ તીવ્રતાના આંચકા ઘણાં સમય પછી અનુભવાયા છે. દાયકાઓ પછી, ભૂકંપનું કેન્દ્ર પણ દિલ્હી નજીક હતું. કંપન એટલું જોરદાર હતું કે લોકોના ઘરોમાં પલંગ, પંખા અને અન્ય વસ્તુઓ ધ્રુજવા લાગી. એવું લાગતું હતું કે પૃથ્વીની અંદર કંઈક મોટું થઈ રહયું છે. ઘરોના બધા દરવાજા અને બારીઓ ધ્રુજવા લાગ્યા. દિલ્હીના નેતાઓએ ભૂકંપની પુષ્ટિ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પણ મદદ લીધી હતી.
બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિવાન જિલ્લો તેનું કેન્દ્ર હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સિવાન હતું. અહીં આવેલા ભૂકંપની તીવ્રતા ૪.૦ માપવામાં આવી હતી. અહીં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે, કયાંયથી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. પરિસ્થિતિ સામાન્ય છે.
પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ દિલ્હી-એનસીઆર પછી બિહાર, હરિયાણા, સિકિકમ ઓડિશા અને બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. દિલ્હી-એનસીઆરમાં ઘણી સેકન્ડો માટે ધરતી ધ્રુજવા લાગી હતી. એપાર્ટમેન્ટ પણ પાંદડાની જેમ ઝૂલતા જોવા મળ્યા.
દિલ્હીમાં એનસીઆર-૪ની તીવ્રતા નોંધાઈ હતી, જયારે સિકિકમમાં ૨.૩ની તીવ્રતા, ઓડિશાના પુરીમાં ૪.૭ની તવ્રતા, બિહારના સિવાનમાં ૪ની તીવ્રતા, હરિયાણામાં ૪ની તીવ્રતા અને બાંગ્લાદેશમાં ૩.૫ની તીવ્રતા નોંધાઈ હતી. સૂત્રો મુજબ કેટલાક ભૂકંપનુ સ્થાન તથા કેન્દ્રબિંદુ અલગ હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial