Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરીજનોને થતી ભારે મુશ્કેલી
જામનગર તા. ૩ઃ જામનગર શહેરના અમુક વિસ્તારના લોકોને નગર બસ (સિટી બસ) સેવાનો લાભ મળતો નથી આ અંગે રજુઆત કરવામાં આવી છે. જામનગરના કૃષ્ણનગર, મેહુલનગર, કેવલીયાવાડી, શાંતિનગર, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના અનેક વિસ્તારમાં લોકોને સીટી બસ સેવા મળતી નથી. આમ આ વિસ્તારમાં વસવાટ કરતા આશરે એકાદ લાખ લોકોને સાથે હળાહળ અન્યાય થઈ રહ્યો છે. રણજીતનગર - પટેલ સમાજ સુધી આવતી બસને એમ્યુઝમેન્ટ પાર્ક સુધી લંબાવી આપવાની જરૃર છે. તેમજ ખોડીયાર કોલોની સાથે અંદરના વિસ્તારોમાં પણ બસ સેવાનો લાભ આપવો જોઈએ. તેમ સામાજિક કાર્યકર ચંદ્રકાંત કરમસી શાહએ રજુઆત કરતા જણાવ્યુંં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag