Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા પીએમજેએવાય કાર્ડ યોજનાનો લાભ લેવા અનુરોધ

ખંભાળીયા તા. ૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર તથા મોહિત પંડ્યાએ લોકોને પીએમજેએવાય કાર્ડ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખ અને કેન્દ્ર સરકારના પાંચ લાખ બીમારીની સારવાર સંદર્ભમાં આ કાર્ડ દ્વારા મળી શકે છે.

દ્વારકા જિલ્લામાં ખંભાળીયાની સરકારી હોસ્પિટલ, દ્વારકાની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ જિલ્લાના તમામ પ્રાથમિક તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા ખાનગી હોસ્પિટલોમાં સાકેત હોસ્પિટલ, મુંદ્રા હોસ્પિટલ તથા દેવભૂમિ હોસ્પિટલમાં પણ આ કાર્ડ પર સારવાર ઉપલબ્ધ થશે. આયુષ્માન કાર્ડ મેળવવા માટે જિલ્લા સરકારી હોસ્પિટલ કે પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રો અથવા આ અંગે માર્ગદર્શન કે ફરિયાદ અંગે ૧૮૦૦ ૨૩૩ ૧૦૨૨ અથવા ૧૪૫૫૫ અથવા જિલ્લા કો ઓર્ડિનેટર નાથાભાઈ ઓડેદરા ૭૫૭૪૮ ૭૯૫૫૫નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh