Advertisement
Author: નોબત સમાચાર

ગીરસોમનાથ જિલ્લામાં તા. ૩ થી ૫ માર્ચ સુધી યોજાશે ગુજરાત આચાર્યસંઘનુંં અધિવેશન

સંઘના હોદ્દેદારો દ્વારા આયોજનઃ જવાબદારીઓ સોંપાઈ

ખંભાળીયા તા. ૩ઃ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું અધિવેશન તા. ૩-૪-૫ માર્ચ ગીર સોમનાથ જિલ્લામાં યોજાશે. આ અંગેનું આયોજન હોદ્દેદારો દ્વારા કરાયું છે, અને જવાબદારીઓ સુપ્રત કરાઈ છે.

તાજેતરમાા રાજ્ય આચાર્ય સંઘની સંસદ બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી જેમાં આગામી વાર્ષિક અધિવેશન અંબાજી, ભુજ અને સાસણગીર સોમનાથ રાખવા માટે ચર્ચાઓ પછી ગીર સોમનાથમાં તા. ૩-૪-૫ માર્ચ ૨૦૨૩ ના રાખવા આયોજન થયું છે. જે માટે રાજ્ય હોદ્દેદારો દ્વારા આયોજન કરવામાં આવ્યુંં છે.

૫૧ મું શૈક્ષણિક વહીવટી અધિવેશન આ દિવસોમાં ગીર સોમનાથ જિલ્લામાં યોજાશે જે માટે જિલ્લા સંઘોએ ફી હોદ્દદારોના ફોટા, તેજસ્વી આચાર્ય સંતાન અઅગે માહિતી, રાજ્ય અથવા રાષ્ટ્રીય પારિતોષિક મેળવેલ આચાર્યની વિગતો, નિવૃત્ત આચાર્ય હોદ્દેેદારોનું સન્માન તથા કલ્યાણલક્ષી અને સારસ્વત અંગે તથા અધિવેશન સ્થળે સ્ટોલ બુકીંગ વિગેરે અંગે વિગતવાર પરિચય મુજબ રાજ્યના દરેક જિલ્લાના હોદ્દેદારોએ કાર્યાલય મંત્રી એમ.એચ. આણદાણીએ રાજકોટમાં વિગતો મોકલવા જણાવાયું છે.

આગામી ૫૧ માં શૈક્ષણિક વહીવટી અધિવેશમન માટે રાજ્ય આર્ચાય સંઘના અગ્રણીઓને જિલ્લા ઓની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાંં ભાનુભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, કિશોરભાઈ દવે, વી.આર. ગજેરા, ભરતભાઈ ચૌધરી, જેસીંગભાઈ હુંબલ તથા એચ.એમ. નારીયાનો સમાવેશ થાય છે. રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખ જે.પી. પટેલ તથા મહામંત્રી ઉમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh