Advertisement
Author: નોબત સમાચાર

આગામી તા. ર૩ મી ફેબ્રુઆરીના ખંભાળિયામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ

ખંભાળિયા તા. ૩ઃ લોકોના પ્રશ્નો, ફરિયાદો, રજૂઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક કક્ષાએ હલ થઈ શકે તે હેતુથી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તા. ર૩-ર-ર૦ર૩ ના સવારના ૧૧ કલાકે કલેક્ટર કચેરી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોવી જોઈએ જે અનિર્ણિત હોય. અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે. આ કાર્યક્રમમાં અરજદારો જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને અરજદાર જાતે રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઈ રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆત કરી નહીં શકાય તેમ નિવાસી અધિક કલેક્ટર, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh