Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વહેલો તે પહેલાના ધોરણે ત્રીજી ફેબ્રુ. સુધી રજિસ્ટ્રેશન
જામનગર તા. રઃ આગામી તા. પ ફેબ્રુઆરીના દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર યોજાશે. તા. ૩ ફેબ્રુઆરી સુધી આ શિબિરમાં ભાગ લેવા માટે દિવ્યાંગો રજિસ્ટ્રેશન કરાવી શકશે.
અસ્થિવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક્ક અધિકારો વિષે મહિતગાર કરવા માટે આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગર દ્વારા 'દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર' યોજાશે. આ નિઃશુલ્ક શિબિરમાં ભાગ લેવા માટે દિવ્યાંગ અથવા તેમના વાલીએ પોતાનું નામ અને વિક્લાંગની વિગત સાથે તા. ૩ ફેબ્રુઆરી સુધીમાં દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિ, જામનગરના સેક્રેટરી રિયાબેન ચિતારા (મો. ૯૪૮૪૭ ૭રર૭૭) પાસે નોંધણી કરાવવાની રહેશે.
આ શિબિર તા. પ ફેબ્રુઆરીના સવારે ૧૦ થી ૧ર કલાક દરમિયાન આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, રણજીતસાગર રોડ, ગ્રીન સિટી રોડ નં. ૧, નવાનગર બેંક પાછળ, જામનગરમાં યોજાશે. શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે માત્ર ૩૦ વ્યક્તિઓ પૂરતું જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. મનોદિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં તેમના વાલીએ જ આ શિબિરમાં ઉપસ્થિત રહેવું.
કાર્યક્રમમાં નામાંકીત વકીલો દ્વારા વિક્લાંગતા ધરાવતી વ્યક્તિઓના અધિકારો માટેના આધિનિયમ-ર૦૧૬/ર૦૧૭, ધી નેશનલ ટ્રસ્ટ એક્ટ-૧૯૯૯, ધી નેશનલ ટ્રસ્ટ રૃલ-ર૦૦૦ અને માહિતી અધિકાર અધિનિયમ-ર૦૦પ વિષે જાણકારી આપવામાં આવશે. તેમ દિવ્યાંગ સમાજ પ્રમુખ સતારભાઈ એમ. દરદાજાએ યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag