Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ મહિના પહેલા અપહરણની થઈ હતી ફરિયાદઃ
જામનગર તા.૩ ઃ ધ્રોલના કાયદાથી સંઘર્ષિત એક કિશોરે છએક મહિના પહેલા એક સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ પોલીસમાં થયા પછી પોલીસે બંનેના સગડ કચ્છના ગાંધીધામમાંથી શોધી કાઢી બંનેને ધ્રોલ ખસેડ્યા છે.
ધ્રોલના ૫ોલીસ સ્ટેશનમાં છએક મહિના પહેલા એક સગીરાને કાયદાથી સંઘર્ષિત એક કિશોર નસાડી ગયો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તે દરમિયાન પીએસઆઈ પી.જી. પનારાને મળેલી બાતમીના આધારે કચ્છના ગાંધીધામમાં તપાસ કરાવવામાં આવી હતી.
તે પછી ધ્રોલ પોલીસનો સ્ટાફ ગાંધીધામ ધસી ગયો હતો. ત્યાંથી કાયદાથી સંઘર્ષિત કિશોર તથા અપહૃુત સગીરા મળી આવતા બંનેને ધ્રોલ ખસેડવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag