Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૩ઃ છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઈડેન્ટીફિકેશન એોથોરિટી ઓફ ઈન્ડિયા, ભારત સરકારની તા. ૧૯-૯-ર૦રર ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા આધાર કાર્ડ કઢાવ્યું હોય અને તેટલા સમયગાળા દરમિયાન કોઈ આધાર અપડેશન કરવામાં આવેલ ના હોય, તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓના અવિરત લાભ લેવા માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આધાર કાર્ડ અપપડેટ કરવા જણાવાયું છે તથા તે માટે સરકાર દ્વારા રૃા. પ૦ નો દર નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે તેમ નોડલ ઓફિસર (યુ.આઈ.ડી.) અને નિવાસી અધિક કલેક્ટર દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag