Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શ્રી વિશ્વકર્મા પ્રભુ જયંતી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી

ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આરતી, હવન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

જામનગર ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે શ્રી વિશ્વકર્મા પ્રભુ જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પંચેશ્વર ટાવર પાસે આવેલ શ્રી વિશ્વકર્મા મંદિરે સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં મંગળા આરતી અને ભવ્ય હવન કરવામાં આવ્યો હતો. ત્યારપછી જ્ઞાતિના વિકાસની માહિતી આપવામાં આવી હતી તથા જામનગર શહેર અને આસપાસના ગામોમાંથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે જામનગર ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ રમણિકભાઈ ડી. ગોરેચા, ટ્રસ્ટીઓ દયાળજીભાઈ એમ.ભારદિયા અને અશોકભાઈ એ. આમરણિયા સહિતના અગ્રણીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh