Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવારમાં થયું મૃત્યુઃ ૫ોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા.૩ ઃ જામનગરના લાખાબાવળમાં રહેતા એક દરજી પરિણીતાએ પતિ સાથે જમવાનું બનાવવાની બાબતે બોલાચાલી થયા પછી પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી દીવાસળી ચાંપી દેતાં તેણીનું ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે આ બનાવની તપાસ શરૃ કરી છે.
જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલા દરજી પાડામાં રહેતા રેખાબેન અમિતભાઈ રાઠોડ નામના પાંત્રીસ વર્ષના દરજી પરિણીતાએ ગઈકાલે બપોરે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે શરીર પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટી દીવાસળી ચાંપી દીધી હતી.
આ પરિણીતાને અત્યંત ગંભીર રીતે દાઝેલી હાલતમાં સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. તેણીનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરાતા પંચકોશી-બી ડિવિઝનના જમાદાર એ.એમ. જાડેજા દોડી આવ્યા હતા. તેઓએ મૃતકના સંબંધી ધ્રોલના લતીપરમાં કિસાનચોકમાં રહેતા જાગૃતિબેન પ્રવીણભાઈ સાંચલાનું નિવેદન નોંધી મૃતદેહનો કબજો સંભાળ્યો છે.
આ પરિણીતાને પતિ અમિતભાઈ કાંતિભાઈ રાઠોડ સાથે જમવાનું બનાવવાની બાબતે બોલાચાલી થયા પછી માઠું લાગી આવતા તેણીએ પોતાની જાતે અગ્નિસ્નાન કર્યાનું પ્રાથમિક કારણ મળવા પામ્યું છે. પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag