Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોમવારની રાત્રે દરવાજાનું તાળું તોડી કરાયો હાથફેરોઃ
જામનગર તા.૩ ઃ જામજોધપુરમાં ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીના એક રાત પુરતા બંધ પડેલા મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યાે છે. મુખ્ય દરવાજાનું તાળંુ તોડી ઘૂસેલા તસ્કરે કબાટમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના મળી રૃપિયા સવા લાખ ઉપરાંતની મત્તા તફડાવી છે.
જામજોધપુર શહેરના રીંગરોડ પર ઉમા ૫ાર્ક વિસ્તારમાં રહેતા અને ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા જયાબેન રાજુભાઈ પાથર નામના કર્મચારી બુધવારે રાત્રે બહાર ગયા તે દરમિયાન કોઈ તસ્કરો તેમના મકાનમાં ઘૂસી ગયા હતા.
બુધવારની રાત્રિના પોણા અગિયાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યા દરમિયાન જીઆરડીના આ મહિલા કર્મચારીના મકાનમાં મુખ્ય દરવાજાનું તાળું કોઈ ઓજાર વડે તોડી નાખી ઘૂસેલા તસ્કરે અંદર શયનખંડમાં રાખવામાં આવેલા કબાટમાંથી રૃા.૧ લાખ ૧૫ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રૃા.૧૧ હજાર રોકડા શોધી કાઢ્યા હતા. કુલ રૃા.૧,૨૬,૭૦૦ની મત્તાની ચોરી કરી તસ્કર પલાયન થઈ ગયો હતો.
ચોરીની સવારે ઘેર આવેલા જયાબેનને જાણ થયા પછી ગઈકાલે સાંજે તેઓએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૮૦, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag