Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાંત્રિક-વહીવટી મંજુરી માટે બે સમિતિઓ રચાશે
ખંભાળીયા તા. ૩ઃ ગુજરાત રાજ્યમાં પાલિકાઓમાંં સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા કેન્દ્રીય નાણાપંચ તથા રાજ્ય સરકારની વિવિધ ગ્રાંટોમાંથી થતા કામો માટે તાંત્રિક તથા વહીવટી મંજુરી પ્રક્રિયા પ્રાદેશિક ન.પા. ના નિયામકશ્રી દ્વારા આપવામાં આવતી હતી જેમાં કાર્યો શરૃ કરવામાં વિલંબ થતો હોય રાજ્યના શહેરી વિકાસ વિભાગના નાયબ સચીવ તેજસ પરમારની સહી સાથે ખાસ આદેશ કરીને રાજ્ય સરકારે આ સત્તા સ્થાનિક સમિતિને સોંપવા હુકમ કરતા હવે ઝડપ થશે.
ટેબલ નં. એક અને ટેબલ નં. બે એમ બે સમિતિઓ બનવાવવામાં આવી છે જે બન્ને સમિતિના અધ્યક્ષ વર્ગ ૧-૨-૩ ના ચીફ ઓફિસરો રહેશે તથા સભ્ય તરીકે પ્રાથિમક કચેરીના ઈજનેર, જિલ્લાની ન.પા.ના ઈજનેર, નજીકની ન.પા. ના ઈજનેર તથા સંબંધીત ન.પા.ના ઈજનેર તથા હિસાબનીશ રહેશે.
રાજ્યની અ વિભાગની ન.પા.ને રૃા. ૫૦ લાખ સુધીના કામો બ વર્ગની ને ૪૦ લાખ, ક વર્ગની ને ૩૦ લાખ તથા ડ વર્ગની ન.પા. ને ૨૦ લાખના કામોની તાંત્રીક તથા વહીવટી મંજુરી સ્થાનિક ટેબલ ૧-૨ ની સમિતિ દ્વારા થઈ શકશે. ઉલ્લેખનિય છે કે ઓખા ન.પા. બ વર્ગની છે. તેમણે ૪૦ લાખના કામો માટે રાજકોટ પ્રાદેશિક નિયામકને ત્યાં જવું પડતું હવે સ્થાનિક સમિતિ આ કામ કરી શકશે. આવી રીતે દ્વારકા, ખંભાળીયા, ભાણવડના ૩૦-૩૦ લાખના કામો સ્થાનિક સમિતિથી થઈ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag