Advertisement
Author: નોબત સમાચાર

નગરની વિદ્યાર્થિની પર દુષ્કૃત્યના કેસમાં આરોપીની આગોતરાની કાલે સુનાવણી

પોલીસે મુદ્દત મેળવવા આપ્યો રિપોર્ટઃ

જામનગર તા.૧૮ ઃ જામનગરના શૈક્ષણિકજગતમાં ચકચાર જગાવનાર એક વિદ્યાર્થિની પર જે તે વખતના ખાનગી શાળાના પ્રિન્સીપાલે દુષ્કર્મ ગુજાર્યા પછી આઠ વર્ષ સુધી તેણીને દુષ્કૃત્યનો ભોગ બનાવ્યાના કેસમાં આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજીની સુનાવણી કાલ પર રાખવામાં આવી છે.

જામનગરની સત્યસાઈ સ્કૂલમાં આઠ વર્ષ પહેલા પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા મનિષ બુચએ ધો.૧૧માં પ્રવેશ મેળવવા ઈચ્છતી વિદ્યાર્થિનીને દુષ્કર્મનો ભોગ બનાવ્યા પછી સતત આઠ વર્ષ સુધી તેણી પર દુષ્કૃત્ય ગુજાર્યાની ગયા સપ્તાહે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી.

ફરિયાદ પછી આરોપી મનિષ બુચ ફરાર થઈ ગયો છે. સત્યસાઈ સ્કૂલમાંથી આ શખ્સને નોકરીમાંથી હાકી કાઢવામાં આવ્યો હતો. તે શખ્સ હાલમાં જામનગરની ભાગોળે આવેલી એક શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત છે ત્યારે તેના આશ્રય સ્થાનો પોલીસે ચકાસ્યા હતા પરંતુ હતાશા સાંપડી હતી.

તે દરમિયાન શનિવારે મનિષ બુચે આગોતરા જામીન મેળવવા જામનગરની કોર્ટમાં અરજી કરી હતી. તેની સુનાવણી સોમવાર પર રાખવામાં આવ્યા પછી તે અરજી અંગે પોલીસે તપાસ સહિતના અન્ય કારણો દર્શાવી મુદ્દત માંગતા આગોતરા જામીન અરજીની સુનાવણી બુધવાર પર મુકર્રર કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh