Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કચ્છ (ભૂજ) વાયા રાજકોટ, વાંકાનેર ટ્રેનો દોડાવવા ઊઠતી જોરદાર માંગણી

હાલારથી કચ્છ વચ્ચે અસંખ્ય મુસાફરો રોજીંદી અવર-જવર કરે છેઃ

જામનગર તા. ૧૮ઃ જામનગરથી કચ્ય (ભૂજ) માટે કોઈપણ ટ્રેન સેવા ઉપલબ્ધ નથી. પરિણામે મુસાફરોને ધરાર સરકારી, ખાનગી બસ મારફત જ પ્રવાસ કરવો પડી રહ્યો છે. હાલારમાંથી દરરોજ અસંખ્ય મુસાફરો કચ્છ-ભૂજ માટે આવન-જાવન કરે છે, જ્યારે રેલવેએ કચ્છની (ભૂજ) ટ્રેન સેવા શરૃ કરાવી જોઈએ તેવી માંગણી ઊઠવા પામી છે.

જામનગરથી દરરોજ અસંખ્ય લોકો કચ્છ માટે પ્રવાસ કરે છે, પરંતુ તેમને ટ્રેન સેવાનો લાભ મળતો નહીં હોવાથી આવા મુસાફરોને ફરજિયાત બસ મારફત પ્રવાસ કરવો પડી રહ્યો છે.

એવું પણ નથી કે, જામનગરમાં પૂરતી સંખ્યામાં મુસાફરો નથી મળતા. લગભગ તમામ ખાનગી, સરકારી બસો ભરચક્ક દોડી રહી છે.

આથી જામનગરથી ભૂજને રેલવે માર્ગથી જોડવાની ખાસ જરૃરિયાત છે. આ ટ્રેન જામનગરથી રાજકોટ થઈ વાંકાનેરથી ભુજ સુધી દોડાવી શકાય તેમ છે અને જો આ ટ્રેન રૃટ શરૃ કરવામાં આવે તો હૈયાત રેલવે લાઈન ઉપર જ દોડાવાથી નવી લાઈન નાખવાની પણ કોઈ જરૃરિયાત રહેતી નથી અને જામનગર-કચ્છ વચ્ચે દરરોજ આવન-જાવન કરતા અસંખ્ય મુસાફરોને સારી સુવિધા મળી રહેશે અને રેલવેને પણ કોઈ ખોટ જાય તેમ નથી, કારણ કે મુસાફર ભાડાથી પૂરતી કમાણી થઈ શકે તેમ છે. આથી રેલવેએ આ બાબતે વિચારણા કરવી જોઈએ અને તેની અમલવારી કરવી જોઈએ તેવી માંગણી મુસાફર વર્ગમાંથી ઊઠવા પામી છે. આ અંગે નેતાઓ અંગત રસ લઈને ઉચ્ચ સ્તરે રજૂઆતો કરે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh