Advertisement
Author: નોબત સમાચાર

કારખાનામાંથી ૭૭૮ કિલો લોખંડની થઈ ગઈ ચોરી

અડધા લાખ ઉપરાંતનું લોખંડ ગયુંઃ

જામનગર તા.૧૮ ઃ જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવેલા એક કારખાનામાંથી રૃપિયા અડધા લાખ ઉપરાંતનું ૭૭૮ કિલો લોખંડ ચોરાઈ ગયું છે. કારખાનેદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જામનગરના સરૃ સેક્શન રોડ પર આવેલા એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં કેતનભાઈ ભીમજીભાઈ ગોરેચા નામના કારખાનેદારના શેડ નં.૩રમાં આવેલા કારખાનામાં  ૭૭૮ કિલો લોખંડની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ગયા ગુરૃવારે સાંજે કારખાનુ બંધ કરવામાં આવ્યા પછી શનિવારની સવાર સુધીમાં લોખંડના વજનીયા, પ્લેટ, બ્રેકેટ વગેરે મળી રૃા.૫૪ હજારના લોખંડની અજાણ્યા તસ્કરોએ ચોરી કરી લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh