Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે, કલેક્ટર, કમિશનરને હાઈકોર્ટની નોટીસઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલા ગણપતનગરના ૧૩૧ મકાનધારકોને પંદર દિવસમાં મકાન ખાલી કરી આપવાની રેલવે દ્વારા નોટીસ પાઠવાતા ત્યાંના રહેવાસીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તે અન્વયે હાઈકોર્ટે નોટીસ સામે સ્ટે આપવા ઉપરાંત રેલવે, જામનગર કલેકટર અને મ્યુનિ. કમિશનરને નોટીસ પાઠવી છે.
જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલા ગણપત નગર વિસ્તારમાં વસવાટ કરતા રહેવાસીઓ પૈકીના ૧૩૦થી વધુ મકાનધારકોને રેલવેના સિનિયર સેક્શન ઈજનેરે થોડા દિવસ પહેલા નોટીસ પાઠવી તેમાં જણાવ્યું હતું કે, ત્યાં આવેલા તે આસામીઓના મકાન પંદર દિવસમાં ખાલી કરી આપવા.
તે નોટીસ અંગે ગણપત નગરના ૧૩૧ રહેવાસીઓએ ગુજરાત હાઈકોર્ટમાં સ્પે. સિવિલ એપ્લિકેશન નોંધાવી રજૂઆત કરી હતી. તે રજૂઆતને ધ્યાને લઈ હાઈકોર્ટે રેલવે દ્વારા અપાયેલી નોટીસ સામે સ્ટેનો હુકમ કર્યાે છે. તે ઉપરાંત રેલવે વિભાગ, જામનગર કલેકટર અને જામનગરના મ્યુનિ. કમિશનરને પણ નોટીસ પાઠવવામાં આવી છે. ગણપતનગરના અરજદારો તરફથી વકીલ મંગલ ગઢવી, જીજ્ઞેશ નાયક રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag