Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરનો શરમજનક કિસ્સોઃ તંત્રે શું કર્યું ?
જામનગર તા. ૧૮ઃ જામનગરના એક શૈક્ષણિક સંસ્થાના પ્રિન્સીપાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી આ મુદ્દે આજે તપાસની માંગ સાથે એબીવીપી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવાયું હતું.
તાજેતરમાં શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં શાળાના આચાર્ય દ્વારા ૧પ વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
તે મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શું પગલા લેવામાં આવ્યા ? આઠ વર્ષથી આરોપી મનિષ બુચ દ્વારા સતત એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતા રહ્યું તો શું શિક્ષણાધિકારીને આ બાબતની જાણ નથી? આથી વર્તમાનમાં મનિષ બુચ જે કેમ્પસમાં નોકરી કરે છે ત્યાં ડીઈઓ દ્વારા તપાસનો આદેશ આપવામાં આવે અને ભવિષ્યમાં આવો બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે તેવી માંગણી સાથે આજે જામનગરમાં એબીવીપી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું તેમ નગરમંત્રી દિવ્યરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag