Advertisement
Author: નોબત સમાચાર

સોની વેપારીને ચેક પરતના કેસમાં સજા પછી અપાયેલા જામીનનો હુકમ રદ્દ

ફરિયાદીએ કરેલી અરજી અદાલતે રાખી ગ્રાહ્યઃ

જામનગર તા.૧૮ ઃ જામનગરના એક આસામીને ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની સજા કરતા આરોપીએ તે હુકમ સામે અપીલ કરી જામીન મેળવ્યા હતા. જામીનમુક્તિ વખતે મૂકાયેલી શરતનું પાલન થયું ન હોય, ફરિયાદીના વકીલે જામીન મુક્તિનો હુકમ રદ્દ કરવા અરજી કરી હતી. અદાલતે તે અરજી ગ્રાહ્ય રાખી છે.

જામનગરમાં વસવાટ કરતા નિખીલ જેન્તિભાઈ નાખવાએ મિત્રતાના દાવે રૃા.૫ લાખ મનિષ વૃજલાલ માંડલીયાને હાથઉછીના આપ્યા હતા જેની પરત ચૂકવણી માટે ચેક આપવામાં આવ્યો હતો. તે ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરાઈ હતી.

તે કેસમાં બંને પક્ષ વચ્ચે સમાધાન થતાં મનિષ માંડલીયાને રૃા.૩ લાખ ૩૦ હજાર રોકડા અને બાકીની રકમનો ચેક આપ્યો હતો. તે ચેક પણ રિટર્ન થતાં નિખીલભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. તે હુકમ સામે આરોપી મનિષ માંડલીયાએ અપીલ નોંધાવતા અદાલતે અપીલના આખરી નિર્ણય સુધી આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે હતો. તે પછી જામીનમુક્તિ વખતેના હુકમનું આરોપીએ પાલન કર્યું ન હોય ફરિયાદીએ અરજી કરી તેમાં જણાવ્યું હતું કે, આરોપીની સજા મોકૂફી બિન અમલી બની જતી હોય. સજાના હુકમમાં અપાયેલો સ્ટે રદ્દ કરવો જોઈએ. અદાલતે તે અરજી ગ્રાહ્ય રાખી આરોપી મનિષ માંડલીયાની ટ્રાયલ કોર્ટે કરેલી સજાનો હુકમ સ્થગિત કરી અપીલ સમયના જામીન પર મુક્ત કરવાનો હુકમ રદ્દ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ મિલન કનખરા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh