Advertisement
Author: નોબત સમાચાર

જામનગર, રાજકોટ અને જેતપુરના સોની વેપારીઓ પાસેથી પૈસા પડાવવા કરાય છે કોલ

રાજકોટના જાગૃત વેપારીઓએ સતર્ક રહેવા કરી તાકીદઃ

જામનગર તા.૧૮ : જામનગર, રાજકોટ અને જેતપુરના કેટલાક સોની વેપારીઓને તમારી દુકાનમાં ચોરાઉ દાગીના વેચવામાં આવ્યા છે તેમ જણાવતો કોલ અજાણ્યો શખ્સ કરે છે અને પોલીસના નામે ધમકાવી પૈસા પડાવવાની તજવીજ કરે છે ત્યારે રાજકોટના કેટલાક જાગૃત વેપારીઓએ સતર્ક રહેવા તમામ વેપારીઓને હાકલ કરી છે.

જામનગર તેમજ રાજકોટ અને જેતપુરના કેટલાક સોની વેપારીઓને થોડા દિવસોથી અજાણ્યા વ્યક્તિઓના ફોન કોલ આવી રહ્યા છે. જેમાં સામા છેડે રહેલી વ્યક્તિ પોતાની ઓળખ કચ્છના ફોજદાર તરીકે આપી દમદાટી મારી રહ્યો છે.

આ બાબતે રાજકોટના ગોલ્ડ ડીલર એસોસિએશન તેમજ કેટલાક અન્ય વેપારીએ સમર્થન આપતા જણાવ્યું છે કે, કચ્છથી ફોજદાર બોલુ છું તેમ કહી અજાણ્યો શખ્સ ઉમેરે છે કે, કચ્છમાં એક મહિલા અને એક છોકરો ચોરીના ગુન્હામાં ઝડપાયા છે, તેઓએ ચોરાઉ દાગીના તમારે ત્યાં વેચ્યા છે, પોલીસ કાર્યવાહીથી બચવું હોય તો દાગીનાના પૈસા કચ્છ મોકલાવી આપો.

આવી જ રીતે જામનગર તથા જેતપુરના વેપારી વેપારીઓને પણ કોલ આવી રહ્યા છે. જેતપુરના સોની પાસે અઢાર ગ્રામ સોનુ અથવા રૃા.૬૪ હજાર આવી જ રીતે માંગવામાં આવ્યા હતા. ત્યારે પોલીસના નામે આવી રીતે જો કોઈ શખ્સ ફોન કરે તો વેપારીઓએ સજાગ રહેવું જરૃરી બન્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh