Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ તથા રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા 'પરશુરામ જન્મોત્સવ'

ચાર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશેઃ

જામનગર તા. ૧૮ઃ બ્રાહ્મણ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ઉજવણીનું સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ જામનગર તથા રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા ચાર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

પરશુરામ જન્મોત્સવના ઉજવણીનો પ્રારંભ સેવાકીય પ્રવૃત્તિથી કરવામાં આવશે. જેમાં તા. ૧૯-૪-ર૦ર૩ ને બુધવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સર્વજ્ઞાતિ માટે કરવામાં આવેલ છે. સમય સવારે ૧૦ થી સાંજે ૪ સુધી જેમાં સહયોગ જી.જી. હોસ્પિટલના તથા ઔદિચ્ય બ્રાહ્મણ છાત્રાવાસનો મળ્યો છે. તા. ર૦-૪-ર૦ર૩ ને ગુરુવારે સાંજે પ-૩૦ થી ૮ કલાકે ભગવાન પરશુરામજીની ગાથા (કથા) નું આયોજન કરવામાં આવ્યું છે. કથા પૂર્ણ થયા પછી અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. સર્વ સમસ્ત બ્રહ્મ સમાજના લોકોને આ કથાનો લાભ લેવા જણાવાયું છે. તા. ૧૯ તથા ર૦ એપ્રિલના કાર્યક્રમોનું સ્થળ ઔદિચ્ય બ્રાહ્મણ છાત્રાવાસ-પ, પટેલ કોલોની, રોડ નં. ૧, સેન્ટઆન્સ સ્કૂલની પાછળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

તા. ર૧ અને રર એપ્રિલના સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના ૧૬ બટુકો યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરશે. સમૂહ યજ્ઞોપવિતનું આયોજન દયાશંકર બ્રહ્મપુરી કાશીવિશ્વનાથ રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ આયોજનમાં સહયોગ દયાશંકર બ્રહ્મપુરીનો મળ્યો છે.

આ ચાર દિવસના પરશુરામ જન્મોત્સવના આયોજનમાં સમસ્ત બ્રહ્મ સમાજના સર્વે જ્ઞાતિજનોએ પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh