Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાસ્ત્રી નરેન્દ્રભાઈ વ્યાસ કથાનું રસપાન કરાવશેઃ
જામનગર તા. ૧૮ ઃ જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામે આવેલ આનંદ આશ્રમ શ્રી બાલેશ્વર મહાદેવ મંદિરની જગ્યાએ શ્રી રામ લક્ષ્મણ જાનકી મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ૧૧૧ પાટલાની શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજવામાં આવી છે.
તા. ર૭-૪ થી તા. ૩-પ સુધી આ સપ્તાહમાં શાસ્ત્રી નરેન્દ્રભાઈ બી. વ્યાસ (જુનાગઢવાળા) વ્યાસાસને બિરાજીને શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. તા. ર૭-૪ ના પોથીયાત્રા નીકળશે શ્રી ૧૦૦૮ મહંત શ્રી શ્યામબિહારીદાસ શાસ્ત્રીજી ગુરૃશ્રી આનંદદાસજી મહારાજ તથા સમસ્ત મોટી બાણંુગારના ગ્રામજનો દ્વારા અને આનંદદાસજી મહારાજ આનંદ આશ્રમના અધ્યક્ષ સ્થાને આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞના પાવન પ્રસંગે તા. ૧-પ ના રોજ ગણપતિજીનું પૂજન, જળયાત્રા, ગૃહશાંતિ, તા. ર-પ ના રોજ નગરયાત્રા, પ્રસાદ વાસ્તુ, હોમ, ધાન્યાધીવાસ, તા. ૩-પ ના પ્રાણ પ્રતિષ્ઠા અને પૂર્ણાહુતિ, બપોરે ૧૧-૪પ વાગ્યે હોમહવન રાખવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag