Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૮ : જામનગરના સાંઢીયા પુલ પાસે રેલવેનું ફાટક બંધ કરવાના પ્રશ્ને રેલવેના કર્મચારી પર ત્રણ શખ્સે હુમલો કર્યાની ફરિયાદ થયા પછી પોલીસે ત્રણેય હુમલાખોરની ઓળખ મેળવી ધરપકડ કરી છે. જામનગરના ગોકુલનગર નજીકના સાંઢીયા પુલ પર રેલવેમાં ગેઈટમેન તરીકે ફરજ બજાવતા પ્રવીણસિંહ જોરૃભા રાઠોડ નામના પ્રૌઢ ગયા શુક્રવારે પોતાની ફરજ પર હતા ત્યારે ફાટક બંધ કરવાના મુદ્દે રમેશ નામના શખ્સ અને બે અજાણ્યાએ તેમના પર હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે ગુન્હામાં પોલીસે હાથ ધરેલી તપાસમાં પોલીસે રામ પીઠાભાઈ ડાંગર, રામદે મેરામણ ગાગીયા તથા હાર્દિક રણમલ ગાગીયા નામના ત્રણ શખ્સની ઓળખ મેળવી હતી. ત્રણેય આરોપીની પોલીસે રેલવેના કર્મચારીની ફરજમાં રૃકાવટ, હુમલો સહિતના ગુન્હામાં ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag