Advertisement
Author: નોબત સમાચાર

અતિક-અશફર હત્યા કેસની નયાયિક તપાસની માંગણી અંગે ર૪ એપ્રિલે સુપ્રિમમાં સુનાવણી

૧૮૩ એન્કાઉન્ટરની તપાસની માંગણી ચર્ચાશેઃ

નવી દિલ્હી તા. ૧૮ઃ સુપ્રિમ કોર્ટમાં માફિયા અતિક અહેમદ તેના ભાઈ અશરફની હત્યા કેસની સુનાવણી ર૪ એપ્રિલના થશે. સુપ્રિમ કોર્ટ યુપીમાં ર૦૧૭ થી અત્યાર સુધીમાં થયેલા ૧૮૩ એન્કાઉન્ટરની તપાસની માંગ પર પણ સુનાવણી થશે. સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સુપ્રિમના ભૂતપૂર્વ ન્યાયાધીશની દેખરેખ હેઠળ એક સમિતિ બનાવવાની માંગ કરવામાં આવી છે. કોર્ટમાં આ અરજી વિશાલ તિવારી નામના વકીલે દાખલ કરી છે. આ ઉપરાંત આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુરે પણ હત્યાની સીબીઆઈ તપાસની માંગણી સાથે સુપ્રિમ કોર્ટનો સંપર્ક કર્યો છે. બીજી તરફ પ્રયાગરાજના પોલીસ કમિશનરે હત્યાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કર્યા પછી સોમવારે ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh