Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે ભાગીદાર સામે અદાલતમાં કરાયો હતો દાવોઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરના ઢીંચડા વિસ્તારમાં જય દ્વારકાધીશ પાર્ક નામની સોસાયટીનું નિર્માણ કરતા બે ભાગીદારો સામે રૃા.૧પ લાખની વસૂલાત અંગે દાવો કરાયો હતો. તે દાવો અદાલતે મંજુર રાખ્યો છે.
જામનગરના ઢીંચડામાં જય દ્વારકાધીશ પાર્ક નામની સોસાયટી બનાવી રહેલા રણજીતસિંગ લાલતુસિંગ શેખાવત તથા યોગેશચંદ્ર ડી. પાંડેએ તે સોસાયટીમાં બંગલો બનાવી આપવાની વાત કરી નવીનચંદ્ર મુળજીભાઈ શાહ પાસેથી રૃા.૧પ લાખ ઉછીના લીધા હતા.
તે રકમ અથવા બંગલો આપવાની વાત વચ્ચે રણજીતસિંગ અને યોગેશચંદ્રએ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા નવીનચંદ્ર શાહએ અદાલતમાં દાવો નોંધાવ્યો હતો. તે દાવો ચાલી જતાં અદાલતે જય દ્વારકાધીશ પાર્કના નામથી ચાલતી ભાગીદારી પેઢી અને તેના ભાગીદાર રણજીતસિંગ તથા યોગેશચંદ્રને રૃા.૧પ લાખની રકમ છ ટકા વ્યાજ સાથે ચુકવવા અને દાવાનો ખર્ચ પણ આપવા હુકમ કર્યાે છે. વાદી તરફથી વકીલ આરીફ ગોદર, કપિલ વશીયર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag