Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તુફાનના ચાલક સામે કરાઈ ફરિયાદઃ
જામનગર તા.૧૮ ઃ ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે વાહનની રાહ જોતા એક પ્રૌઢને કાળ બનીને ધસી આવેલી તુફાન જીપે ઠોકર મારતા ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે.
ખંભાળિયામાં ડેરા ફળી વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ દાવડા નામના પ્રૌઢ શનિવારે રાત્રે ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર પેટ્રોલપંપ નજીક વાહનની રાહ જોતા હતા.
આ વેળાએ જીજે-૩૭-ટી ૯૫૯૫ નંબરની તુફાન જીપ પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે જીતેન્દ્રભાઈને ઠોકર મારીને ફ્ંગોળતા માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા જીતેન્દ્રભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર અજયભાઈ દાવડાએ જીપના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag