Advertisement
Author: નોબત સમાચાર

સ્મશાનથી ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી ડી.પી. રોડ બનાવવા રજુઆત

જામનગર તા. ૧૮ઃ જામનગરમાં ૧૯૯ર માં મંજુર થયેલ સ્મશાન પાસેથી લઈને ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી ડી.પી. રોડ બનાવવા દિલીપસિંહ જેઠવા, સિદ્ધરાજસિંહ જાડેજા તથા જુવાનસિંહ રાઠોડે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

જામનગર શહેરમાં ૧૯૯ર કરતા પણ પહેલા ડીકલેર કરવામાં આવેલો અને જામનગર ટ્રાફિકની સમસ્યા માટે ખૂબ જ મહત્ત્વનો એવો નાગનાથ ગેઈટ સર્કલથી સ્મશાન થઈને નવાગામ (ઘેડ), સ્વામિનારાયણ, રાંદલનગર, પુનિતનગર ગાંધીનગર સુધી ૩૦ મીટર પહોળો રોડ મંજુર કરવામાં આવેલ છે. હાલમાં જામનગર શહેરમાં મોટો બ્રીજ બને છે અને ટ્રાફિકનો પ્રશ્ન છે. અંબર ચોકડી, ગુરૃદ્વારા ચોકડી બહુ ટ્રાફિક થાય છે અને હોસ્પિટલ જવા માટે બહુ મુશ્કેલી પડે છે. ઘણાં વિસ્તાર વધી ગયા છે અને બાંધકામ પણ બહુ થઈ ગયા છે. જેથી આવા  વોર્ડ નં. ૧૦,૪,ર ના લોકોને અને આજુબાજુના વિસ્તાર  હાપા, વિભાપર, ગુલાબનગર, જુના-નવા નાગના, બેડી, ઢીંચડાના લોકોનો મોટો ફાયદો થાય તેમ છે.  આ ડી.પી. રોડ અગાઉ૩૦ મીટરનો મંજુર કરવામાં આવ્યો હતો. હાલમાં અમુક રાજકીય આગેવાનો દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh