Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં સ્વાગત સપ્તાહની ઉજવણીની તૈયારીઃ કલેકટરે યોજી બેઠક

તા. ર૭ એપ્રિલ સુધી સ્વાગત કાર્યક્રમો

જામનગર તા. ૧૮ ઃ નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ર૪ એપ્રિલ ના સ્વાગત કાર્યક્રમની શરૃઆત કરવામાં આવી હતી. રાજ્યમાં સ્વાગત કાર્યક્રમને ર૦ વર્ષ પૂર્ણ થતા સ્વાગત સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજુ કરવામાં આવે તે પ્રશ્નોનું ત્વરાથી હકારાત્મક રીતે નિરાકરણ થાય તે માટે વિશેષ પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. આ સ્વાગત કાર્યક્રમ વધુ સુદૃઢ બને તેનો લાભ છેવાડાના નાગરિકોને અસરકારક રીતે મળી રહે તે માટે જિલ્લા કલેકટર બી.એ. શાહે તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ગ્રામ્ય અને તાલુકા સ્વાગત સપ્તાહ અંતર્ગત તા. ૧૭-૪-ર૩ સુધી ગ્રામ્ય કક્ષાએ વિવિધ ર૪ સ્થળોએ ખાસ કેમ્પના આયોજન પછી તા. ર૪ એપ્રિલથી ર૬ એપ્રિલ દરમ્યાન વિવિધ તાલુકા મથકોએ સ્વાગત કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમજ તા. ર૭ એપ્રિલના જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh