Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના કાર્ડધારકોને આગામી તા. ર૦ ના જીવનજરૃરી ચીજવસ્તુની કીટનું વિતરણ કરવામાં આવશે.
જામનગરમાં વસવાટ કરતા લોહાણા જ્ઞાતિના દરિદ્રનારાયણ કાર્ડધારકોને લોહાણા મહાજન દ્વારા અનાજ-કરિયાણા સહિતની ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવશે.
લોહાણા મહાજન વાડીની ધામેચા વિંગના મુખ્ય દાતા સ્વ. ખોડીદાસભાઈ રતનસી ધામેચા પરિવારના લંડનથી આવેલ ઈશાબેન જયકુમાર ઠક્કર અને રૃહીબેન ધરમભાઈ કોટેચાના સહકારથી વિણાબેન અને પ્રદીપભાઈ ધામેચાના હસ્તે ગુરુવાર, તા. ર૦ ના સવારે ૧૦-૩૦ થી ૧ર-૩૦ સુધી લોહાણા મહાજન વાડીમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે.
દરેકે કાર્ડ સાથે રાખીને કીટ લેવા ઉપસ્થિત રહેવા માટે જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદ્ મંત્રી રમેશભાઈ દત્તાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag