Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલા ૩૦ જૂને રવાના થશેઃ
નવી દિલ્હી તા. ૧૮ઃ અમરનાથની યાત્રા માટે દેશમાં રજિસ્ટ્રેશનનો આરંભ થઈ ચૂક્યો છે, અને અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ શરૃ કરાયું છે. આ વર્ષે ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથના દર્શન કરે તેવો અંદાજ છે.
આ વર્ષે નવી બાયોમેટ્રિક સિસ્ટમ પણ દાખલ કરવામાં આવી છે. તેમાં દરેક યાત્રાળુના હાથના અંગૂઠાની છાપ (થમ્બ ઈમ્પ્રેશન) સ્કેન કરીને રેકોર્ડમાં રાખવામાં આવશે. સોમવારથી સમગ્ર ભારતની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, જમ્મુ-કાશ્મીર બેંક અને યસ બેંકની પ૪ર શાખાઓમાં રજિસ્ટ્રેશન માટે યાત્રાળુઓની કતારો લાગવા માંડી છે.
આ વર્ષે અમરનાથ યાત્રા ૬ર દિવસની રાખવામાં આવી છે. યાત્રા ૧ જુલાઈએ શરૃ થશે અને ૩૧ ઓગસ્ટે તેની પુર્ણાહૂતિ થશે. પાંચથી વધુ અને મહત્તમ પચાસ જણ સામૂહિક રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જમ્મુથી યાત્રાળુઓનો પહેલો જથ્થો ૩૦ જૂને રવાના થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag